http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1
એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા વાલીડા ને વહમી દેવા વિદાય રે... હાલી. રે...અયોધ્યા રામને વળાવવા..
એવા વેલેથી વસછુટ્યા રાતા ગલ ફુલડા ઉગ્યુ કાય ગોજારુ પરભાત. રે... હાલી રે અયોધ્યા રામને વળાવવા..
તાંબારે વરણો સુરજ ઉગ્યો માવડીયુ એ મેલ્યા રોતા નાના બાળ રે.. હાલી રે અયોધ્યા રામને વળાવવા...
ભુખ્યા રે પેટે ગાયુ જોને ભાંભરી ગાયા એણે મરસીયા જેવા રાગરે.. હાલી રે અયોધ્યા રામને વળાવવા..
કવિ દાદ રે કહે છે અયોધ્યાના રાયને ચવુદ ચવુદ વરસ દીધો વનવાસ રે. હાલી રે અયોધ્યા રામને વળાવવા.
05-04-2017 Type Arvind Jidiya 8128140089
No comments:
Post a Comment